દ્વારકાધીશ જગતમંદિરે લાભપાંચમના દિવસે સવાર સાંજ બે વખત છપ્પનભોગ મનોરથના દર્શન યોજાયા

0

દ્વારકાધીશ જગતમંદિરમાં નૂતન વર્ષના નવા દિવસો પૈકી ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે સવાર-સાંજ એક જ દિવસમાં બે વખત છપ્પનભોગ મનોરથ યોજાયા હતા. સવારે સુરતના શારદાબેન નવીનભાઈ પરીવારના યજમાન પદે અન્નકૂટ મનોરથ યોજાયા હતા અને સાંજે પાંચ વાગ્યે ગાંધીનગરના દિવ્યાબેન  રાહુલભાઈ પરિવારના યજમન પદે છપ્પનભોગ મનોરથ યોજાયો હતો. ઠાકોરજીને વિશેષ વસ્ત્રાલંકારોથી સુશોભિત કરી અલોૈકિક દર્શન મનોરથનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. છપ્પનભોગ મનોરથનું સમગ્ર આયોજન જયેશભાઈ ઠાકર, નલીનભાઇ ઠાકર વિગેરે પુજારી દ્વારા કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!