ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયા

0

ગત બે મહિના દરમ્યાન ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પની સફળતા બાદ માણાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ચાલુ વર્ષમાં ૧૦૦ નિદાન કેમ્પ કરવાના કરેલ સંકલ્પના અનુસંધાને તા. ૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ, ૨૦૨૨ દરમ્યાન માણાવદર, વંથલી, ખોરાસા અને મોટી મારડ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં નિદાનની સાથે સારવાર અને જરૂરી દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં જનરલ વિભાગ, સ્ત્રી રોગ, બાળરોગ અને સર્જરી વિભાગમાં નીદાન અને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનો ૧૧૦૦ થી વધુ દર્દીઓએ સારવાર અને ફ્રી દવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાંના લાભાર્થી દર્દીઓ સારવાર બાદ ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ ખાતે વધારે ઘનિષ્ઠ સારવાર અને સેવાઓનો લાભ લઇ રહ્યા છે. સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ આ કેમ્પની સફળતા બદલ ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલના કર્મચારીઓને બિરદાવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!