શ્રી કષ્ટભંજનદેવને આંકડાનાં ફુલોનો દિવ્ય શણગાર અને ફરસાણનો અન્નકુટ

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવારનાં પવિત્ર દિવસ નિમિતે
તા.૧ર-૩-ર૦રરનાં રોજ શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામિનાં માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવી આંકડાનાં ફુલોનો દિવ્ય શણગાર અને ફરસાણનાં અન્નકુટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મંગળા આરતી પૂજારી સ્વામિ દ્વારા કરવામાં આવેલ હતી તથા શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી દ્વારા શ્રી સ્વામિનારાયણ(શ્રી હરી) મંદિરમાં પૂજન કરવામાં આવેલ હતું. શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલવડી, સક્કરપારા, ચોળાફળી, પુરી, સેવ, ગાંઠીયા, ચેવડો વિગેરે વિવિધ પ્રકારનાં ફરસાણનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હજારો ભકતોએ આ અનેરા દૃશનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!