ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠક યોજાઇ

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં કચ્છનાં સાંસદ, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને પ્રદેશ સંગઠન મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સાથે મહાનગર પ્રભારી ચંદ્રશેખરભાઇ દવે, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, જૂનાગઢ મહાનગર પાલિકાનાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, સંગઠનની ટીમ, મહાનગર કારોબારી સભ્યો, મોરચાના હોદેદારો, વોર્ડના હોદેદારો, વરિષ્ઠ આગેવાનો, મિડીયા વિભાગનાં હોદ્દેદારો, વિવિધ સેલનાં હોદેદારો તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજાયેલ કારોબારીમાં વિનોદભાઈ ચાવડા, પુનિતભાઇ શર્મા, હરેશભાઈ પરસાણા, સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે, ઓમભાઇ રાવલ દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાનગર મહામંત્રી ભરતભાઈ શીંગાળાએ કર્યું હતું તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!