યાત્રાધામ દ્વારકામાં સુદામા સેતુ નજીક છાસનું સેવન કરતા ૧પ યાત્રિકોને ફુડ પોઈઝનની અસર

0

યાત્રાધામ દ્વારકાનાં સુદામા સેતુ નજીક ૧પ જેટલા યાત્રિકોને છાસનું સેવન કરતા એકાએક જ ફુડ પોઈઝન થતા અને યાત્રિકોની તબીયત લથડતા ખાનગી હોસ્પીટલમાં તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં. આ બનાવની જાણ દ્વારકા નગરપાલિકાનાં આરોગ્ય વિભાગનાં સ્ટાફને થતાં ઘટના સ્થળે પહોંચી ગયેલ અને છાસનું વિતરણ બંધ કરાવવામાં આવેલ. અને છાસનાં બાકી રહેલા જથ્થાનો નાશ કરવામાં આવેલ હતો. ફુડ પોઈઝનનો ભોગ બનેલા તમામ ૧પ દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ બનાવ અંગે દ્વારકા નગરપાલિકા સેનેટરી ઈન્સ્પેકટર સંજય દતાણીએ આવા બનાવો ફરી ન બને તે માટે સુદામા સેતુ વિસ્તારમાં બેસતા છાસ વિતરકોને કડક સુચના આપી વિતરણ બંધ કરવા તાકીદ કરેલ હતી.

error: Content is protected !!