રાષ્ટ્રચેતના સમિતિ દ્વારા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનાં વ્યાખ્યાનનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાયો

0

જૂનાગઢમાં રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગીરનાર પબ્લીક સ્કુલનાં મેદાનમાં યોજાયો હતો. આ વ્યાખ્યાનનાં મુખ્ય વકતા રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી હતાં. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાત્રીનાં ૯ વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને ૧૧ઃ૩૦એ વ્યાખ્યાન પૂર્ણ થયું હતું. ત્યા સુધી લોકો કાર્યક્રમમાં જાેડાયેલા રહ્યાં હતાં. વ્યાખ્યાન દરમ્યાન ભારત માતા કી જયના નારા લાગતા રહ્યા હતાં. વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ પોતાની શૈલીમાં કહ્યું હતું કે, દેશમાં જૂનાગઢને ભેળવવાની જવાબદારી સરદાર પટેલની હતી. તેણે તે કરી બતાવ્યું હતું. ભારતનાં ભાગલા શું કામ થયા ? ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. કોઇ નેતા સાચુ બોલતા નથી. વિભાજન અંગ્રેજાે અને કોંગ્રેસના કારણે થયું તેવું કહેવામાં આવે છે. નેતાઓનાં આવા સ્વાર્થથી રાષ્ટ્ર ભ્રમીત થઇ રહ્યો છે. રાષ્ટ્રથી મોટું કોઇ નથી. રાષ્ટ્ર ઉપર ભાષણ આપવું સરળ છે.
૪૮ કલાકથી દેશમાં રાષ્ટ્રવાદીઓના મો સીવાઇ ગયા છે. નુપુર શર્માએ સત્ય કહ્યું છે. લોકો શપથ લે કે નુપુર શર્માનાં સાથે છીએ. સનાતનીઓ તેની સાથે ઉભા છે. નુપુર શર્મા વિવાદમાં સનાતનીઓ માફી નહી માંગે તેમજ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હમણા કચરો લીધો છે અને ઘરની લક્ષ્મી નુપુર શર્માને બહાર કરી દીધી છે.ભારતનું વિભાજન ધર્મનાં નામ ઉપર થયું હતું. એટલું જ નહી ભારતનું વિભાજન દુનિયાનું સૌથી મોટું લેન્ડ જેહાદ હતું. અનેક ધર્મ થયા અને તેનો અંત આવ્યો. પરંતુ સનાતન ધર્મનો જન્મ નથી થયો. દુનિયામાં સનાતન ધર્મ અંત સુધી રહેશે. સનાતનમાં પાંચ તત્વ છે અને બ્રહ્માંડની ઉત્પતીથી પાંચ તત્વ છે. બાદ પાંચ તત્વનું મહત્વ વૈજ્ઞાનીક તથ્યો સાથે સમજાવ્યું હતું. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ કહ્યું હતું કે, દેશમાં ૩૦ હજાર મંદિર છે. તે મંદિર નથી ભારતની સભ્યતા છે. દેશમાં હવે મંદિર બનાવવાની જરૂર નથી. ગુરૂકુળ બનાવવાની જરૂર છે. ગુરૂકુળમાંથી ચાણકય પેદા થશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ રાષ્ટ્રચેનતા સમિતિનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!