કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું

0

કેશોદ નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતી અંગે આક્ષેપ પ્રતીઆક્ષેપનો વાદ વિવાદ ઘણાં સમયથી સર્જાયો છે. અગાઉ પણ આવેદન પત્રો આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ફાયર વિભાગમાં થયેલ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે નગરપાલિકા સતાધિશો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સરકારના નિયમોનુસાર ભરતી કરવામાં આવી છે. ત્યારે કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા નગરપાલિકા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર બાદ નગરપાલિકા પ્રમુખની ચેમ્બર સામે કોંગ્રેસ સમિતિ દ્વારા રામધુન બોલવામાં આવી હતી. ભ્રષ્ટાચાર બંધ કરો નગર પાલિકા પ્રમુખ રાજીનામું આપો સહિતના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!