પોલીસકર્મીઓનાં વર્તનમાં સકારાત્મક બદલાવ લાવીને પ્રજા-પોલીસ વચ્ચે સેતુ દ્રઢ બનાવવાનો નવતર પ્રયોગ ‘પહેલ’

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છે, પોલીસ નો પિપલ ફ્રેન્ડલી એપ્રોચ હંમેશા લોકોની પ્રશંસા મેળવતો હોય છે અને સારા કાર્યોની છાપ જનમાનસમાં કાયમ રહેતી હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસે જવાનોને સ્ટ્રેસ મેનેજમેંટ, કાયદા-નિયમો, બિહેવિયરલ ટ્રેનિંગ જેવા વિષયો ઉપર તાલીમ આપવાનો નવતર અભિગમ અપનાવી એક દિવસીય સેમિનાર ‘પહેલ’નું આયોજન કર્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દપૂર્ણ બને તેમજ પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે, પ્રજા માટે, પ્રજા પડખે છે” તે ભાવના જનમાનસમાં જાગે તેવા આશયથી વિવિધ વિષય નિષ્ણાતો, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કરશે. મુખ્યમંત્રીએ ‘‘પહેલ’’ સેમિનારનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર અને અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ગાયહેડ અને ક્રેડાઈ આ સેમિનારના સહયોગી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને લોકોને વાહન ચાલનમાં વધુ સગવડતા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસે ઘડેલી ‘એરીયા એડોપ્શન સ્કીમ’ લોન્ચ કરી હતી. આ સ્કીમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર લોન્ચ કરાશે. આ એરિયા એડોપ્શન સ્કીમ શરૂ થવાથી જે-તે સ્થાનિક વિસ્તારના જનસહયોગ અને સૂચનોથી ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે. મુખ્યમંત્રીએ ‘પહેલ’ સેમિનારમાં વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી કામ કરવાની જે દિશા આપી છે, તે દીશામાં પોલીસ વિભાગે ‘પહેલ’ સેમિનાર અને ‘એરિયા એડોપ્શન સ્કિમ’થી વધુ એક કદમ ભર્યું છે. મુખ્યમંત્રીએ નાનામાં નાના માનવીથી લઈને સૌ કોઇના સન્માનને મહત્વપૂર્ણ ગણાવી પોલીસ અને પ્રજા વચ્ચે સૌહાર્દ અને પરસ્પર સન્માનસભર વ્યવહાર ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, નીતિ-નિયમો અને કાયદા પાલનમાં પોલીસની કડકાઇ સરાહનીય છે અને સરવાળે તો સમાજજીવનના ભલા માટે, સારા માટે જ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થતાં હોય છે અને સારાં પરિણામો મળતાં હોય છે. પોલીસ માનવીય સંવેદના સાથે આવા પ્રયાસો કરતી રહી છે તે પણ પ્રસંશનીય છે.
કોરોનાકાળમાં પોલીસકર્મીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને કર્મયોગી બનવાની શીખ આપી છે તેમાંથી સૌ પોલીસ જવાનોએ પ્રેરણા લઇ કોરોના જેવા કપરા કાળમાં પણ હસતાં મોંએ સેવા કરી છે. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, એરિયા એડોપ્શન સ્કિમમાં અમદાવાદ મહાનગરપાલિકા પણ કદમથી કદમ મિલાવીને પોલીસ વિભાગને પૂરેપૂરો સહકાર આપશે. અમદાવાદ પોલીસ, સ્થાનિક લોકો અને જનપ્રતિનિધીઓ એકસાથે બેસીને ટ્રાફીક સમસ્યાઓ ઉપર પરામર્શ કરી અને તેના ઉકેલ લાવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પહેલ અને આસ(છછજી) સ્કિમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ૧૫,૦૦૦ પોલીસકર્મીઓને આગામી ૩ મહિના દરમ્યાન વિવિધ વિષય નિષ્ણાતો, મનોચિકિત્સકો, પત્રકારો, વકીલો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ અને વ્યવસ્થાપન બાબતે દાયકાઓથી સક્રિય રહેલા મહાનુભાવોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું. ‘‘પહેલ’’ સેમિનારના ઉદ્‌ઘાટન સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર લોચન સહેરા, અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર ગૌતમ પરમાર(ૈંઁજી), સંયુક્ત પોલીસ કમિશ્નર વહીવટ વિભાગ અજય ચૌધરી, અધિક પોલીસ કમિશ્નર(ક્રાઈમ) પ્રેમવીરસિંહ, ક્રેડાઈ અમદાવાદ અને ગાહેડના પ્રમુખ તેજસ જાેશી, ક્રેડાઈ અમદાવાદ ગાહેડના સેક્રેટરી વિરલ શાહ, ક્રેડાઈના રાષ્ટ્રીય પદાધિકારી શેખરભાઈ પટેલ તેમજ અમદાવાદ શહેર પોલીસના સિનિયર અધિકારીઓ તથા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

error: Content is protected !!