સાળંગપુર : કષ્ટભંજનદેવને ગુરૂપૂર્ણિમાએ સુવર્ણવાઘાનો દિવ્ય શણગાર કરાયો

0

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ સદગુરૂ ગોપાળાનંદ સ્વામીનું પૂજન અર્ચન કરી દાદાનાં સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સુવર્ણ શણગાર આરતી કરાઈ હતી. ગુરૂપૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામના પાઠવાઈ હતી. દાદાનાં ભકતો દ્વારા વાજતે ગાજતે દાદાને ધજા અર્પણ કરવામાં આવેલ હતી. આ ધાર્મિક પ્રસંગનો હજારો ભકતોએ યુ-ટયુબ ચેનલ દ્વરા ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!