માણાવદર-વંથલી હાઈવેથી તાલુકાની જનતા ત્રાહિમામ

0

માણાવદરથી વંથલી હાઈવેની ઘણા સમયથી બદતર હાલતનાં કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વાહનોને આ ખાડાઓને કારણે ભારે નુકશાની થઈ રહી છે. સાથે અકસ્માતો થાય તેમજ નાગરીકોનાં હાડકાં ખોખરા થઈ રહયા છે. કમરોનાં દર્દ થઈ રહયાની લોક ફરીયાદો ઉઠી રહી છે. આ હાઈવે ત્રણ તાલુકા-જીલ્લાને જાેડતો છે. અને આ હાઈવે ઉપરથી નાના-મોટા અનેક વાહનો પસાર થાય છે. પરંતુ હાલ અત્યંત ખરાબ રસ્તાનાં કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ સારવાર માટે જતા દર્દીઓની હાલત પણ આવા રસ્તાથી ખરાબ થઈ રહી છે.

error: Content is protected !!