મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

0

દ્વારકાધીશ મંદિર ખાતે મહાનુભાવો તેમજ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મુખ્યમંત્રીને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરની પ્રતિકૃતી અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતીબેન સામાણી, સંગઠનના સર્વ પાલાભાઈ કરમુર, શૈલેષભાઈ કજાણકારીયા, યુવરાજસિંહ વાઢેર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!