મીઠાપુરનો પંડ્યા પરિવાર વર્ષોથી અમાસના દિવસે બાળકોને કરાવે છે ભોજન

0

સામાન્ય રીતે શ્રાવણ માસના પૂર્ણાવતી નિમિતે દાન પુણ્યને સેવાકીય કાર્ય કરતા હોય છે. ત્યારે મેંદરડા તાલુકાના મીઠાપુર ગામના વતની અને હાલ જૂનાગઢમાં રહેતા માહિતી ખાતાના નિવૃત કર્મચારી પ્રમોદભાઈ પંડ્યા અને તેમનો પરિવાર વર્ષોથી સેવાકીય કર્યો કરે છે. ત્યારે અમાસના દિવસે પોતાના ગામના શંકર મંદિર ખાતે બાળકોને બટુક ભોજન કરાવી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી શિક્ષણને લગતી વાતો બાળકોને સાથે કરી અને અભ્યાસ ઉપયોગી કીટ બાળકોને આપી હતી. પંડ્યા પરિવારની આ સેવાકીય પ્રવૃત્તિ અને પોતાના ગામ પ્રત્યેની લાગણી ગામના આગેવાનો બિરદાવી હતી.

error: Content is protected !!