દ્વારકા ખાતે ‘સાઝ ઔર આવાઝ’ દ્વારા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિ નિમિતે સંગીતનો કાર્યક્રમ યોજાયો

0

દ્વારકા ખાતે દીપકભાઈ માણેક પ્રસ્તુત “સાઝ ઔર આવાઝ “દ્વારા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિ નિમિતે એક સંગીતનો કાર્યક્રમ દીપકભાઈ માણેકના ઘરે રાખવામાં આવેલ હતો. હાલ નવા જનરેશનના ગીતો તરફ લોકો વળી રહ્યા છે ત્યારે સદીઓના મહાન ગાયક કલાકાર એવા મુકેશચંદ માથુરની ૪૬મી પુણ્યતિથિએ દીપ પ્રાગટ્ય અન તેમને પુષ્પાંજલિ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી. આ કાર્યક્રમમાં ઓખા મંડળના અલગ-અલગ ગાયક કલાકારોએ મુકેશચંદ માથુરના ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપેલ હતી. આ કાર્યક્રમમાં આયુર્વેદિકના નિષ્ણાંત એવા ડો. યાદવ, દ્વારકા તાલુકા ભાજપ મહામંત્રી ધનાભા જડીયા, દ્વારકા શહેર ભાજપ મંત્રી ગિરધરભાઈ જાેષી, દ્વારકા તાલુકા બજરંગદળના પ્રમુખ બાલુભા વાઘા તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ગીરધરભાઈ જાેષીએ પોતાની સુમધુર વાણીએથી કરેલ અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દીપકભાઈ માણેક તેમજ તેમની ટીમએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!