જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ અને ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ૮મો સરસ્વતી સન્માન સમારોહ રવિવારે યોજાશે

0

જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજ અને જામકંડોરણા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત ૮માં સરસ્વતી સન્માન સમારોહ તારીખ ૪-૯-૨૦૨૨ રવિવારના રોજ બપોરે ૨ કલાકે સાંસ્કૃતિક ભવન ખાતે બાલાજી ચોક પાસે, આયોજન કરવામાં આવશે. જેમાં ધો.૫થી અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમ્યાન અસામાન્ય અને વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ રાજકોટ જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા છે. અતિથિ વિશેષ તરીકે અનિરૂદ્ધસિંહ જાડેજા રિબડા, કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા, ડીવાયએસપી જૂનાગઢ પ્રદીપસિંહજી જાડેજા, ઉદ્યોગપતિ સહદેવસીહ ઝાલા પર્વ મેટલ, યોગીરાજસિંહ જાડેજા (ડે.કલેક્ટર લીંબડી), ડો. જીગરસિંહ જાડેજા ગિરિરાજ હોસ્પિટલ, એ.બી. ગોહિલ પી.આઈ.(ધોરાજી), શક્તિસિંહ જાડેજા ભૂમિ ગ્રુપ, ગોંડલ તાલુકા પંચાયત ચેરમેન મયુરરાજસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર કરણી સેના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા તેમજ ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતપુર, વીરપુર, ગોંડલ, કોટડા સાગાની, લોધિકા, રાજકોટ તાલુકા, પડધરી રાજપુત સમાજ અને કરણી સેનાના પ્રમુખો ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમની શોભા વધારશે. કાર્યક્રમને સફળ બનાવવા જામકંડોરણા રાજપુત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા અને ક્ષત્રિય યુવક મંડળના યુવા પ્રમુખ રામદેવસિંહ જાડેજા તેમજ ટ્રસ્ટી અને કારોબારી સભ્ય જેહમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!