જૂનાગઢ શહેરમાં ભંગાર રસ્તાઓ પ્રશ્ને આંદોલન : લોકો રસ્તા ઉપર બેસી ગયા

0

જૂનાગઢ શહેરનાં મોતીબાગથી મધુરમ સુધીનાં બિસ્માર, ધુળીયા રસ્તા મામલે સ્થાનિક રહીશો અને વેપારીઓએ મહાનગરપાલિકા તંત્રને આપેલા અલ્ટીમેટમની મુદ્દત પૂર્ણ થતા ફરી એકવાર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર, મોતીબાગથી મધુરમ સુધીનાં બિસ્માર રસ્તા પ્રશ્ને ગત શનિવારે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ ચક્કાજામ કર્યું હતું અને સોમવારે કમિશ્નરને રજૂઆત કરી અને ૭ર કલાકનું અલ્ટેમેટમ આપ્યું હતું. બે દિવસમાં રસ્તાનું કામ શરૂ થઈ જશે તેવી ખાત્રી પણ અપાઈ હતી પરંતુ આ ખાત્રીનું પાલન થયું નથી ત્યારે આ લખાય છે ત્યારે અક્ષરવાડી પાસે લોકો રસ્તાનાં પ્રશ્ને રસ્તા ઉપર બેસી ગયા છે.

error: Content is protected !!