બાંટવા ખાતે સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ટ્રસ્ટ દ્વારા ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

0

સંત શિરોમણી સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ બાંટવા દ્વારા તા.૭-૯-ર૦રર બુધવારનાં રોજ ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજવામાં આવી રહયા છે. જેમાં ૯ દિકરીઓનાં લગ્ન તેમજ ૧૩ જનોઈનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગેે પૂ. ઝુલેલાલ સાંઈનાં ર૬માં વંશજ ઠકુરસાંઈ મનીષલાલનાં હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ તકે અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા તેમજ કોંગ્રેસનાં વરિષ્ઠ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ અખીલ ભારતીય લાડી લોહાણા સિંધી પંચાયતનાં પ્રમુખ કાળુભાઈ સુખવાણી અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનાં આયોજનક પ્રકાશભાઈ લાલવાણી અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!