ગિરનાર જંગલમાંથી ૬૦ કિલો પ્લાસ્ટીકનો નાશ કરાયો

0

જૂનાગઢમાં નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૫૧ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા રોપવે સાઈટથી જટાશંકર આસપાસના જંગલ વિસ્તારમાં ૫૧મું પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું અને આ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન દરમ્યાન આશરે ૬૦ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો. તેમજ છેલ્લા ૫૧ સપ્તાહ દરમ્યાન નેચર ફર્સ્ટ દ્વારા ગિરનાર જંગલમાંથી આશરે ૧૨ ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કર્યો હતો.

error: Content is protected !!