જગતગુરૂ શંકરાચાર્યને ગિરનાર મંડળનાં સંતો વતી શ્રધ્ધાંજલી અર્પણ કરતા પૂ. ઈન્દ્રભારતીબાપુ

0

દ્વારકાપીઠાધિશ્વર અનંત વિભુષિત જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ બ્રહ્મલીન થતાં તેઓને સાધુ સમાજ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં શ્રી મહંત અને શ્રી પંચદશનામ જુના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગિરનાર સંતમંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુએ જગતગુરૂ શંકરાચાર્યજીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમનું શરીર શાંત થતા આજે ખુબ દુઃખદ બાબત છે. તેમણે વિશ્વની અંદર ઘણા ઉમદા કાર્ય કરેલ છે. ભગવાન પીનાકપાની શિવ તેમનાં આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સહ શ્રધ્ધાસુમન અર્પણ કરૂ છું.
પૂ. ઈન્દ્રભારતીજી મહારાજે વધુમાં જણાવેલ કે સનાતન વૈદીક ધર્મ સંસ્કૃતિ પરંપરા શાસ્ત્ર સદાચાર અને સંપૂર્ણ માનવતાનાં રક્ષક હતાં અને સાથે રાષ્ટ્ર ભકિતનાં સાકારરૂપ હતાં. રાષ્ટ્ર તથા સમાજની રક્ષા અને વિકાસ માટે તેઓએ ઘણા કાર્ય કર્યા અને પાર્થિવ શરીર છોડી પરમધામ માટે પ્રસ્થાન કર્યા છે ત્યારે આ દિવ્ય આત્માને ગિરનાર મંડળનાં સંતો વતી શ્રધ્ધાસુમન અર્પણ કરૂ છું.

error: Content is protected !!