જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાંતભાઈ જાેષીની આજે ૧પમી પૂણ્યતિથિ

0

જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાંતભાઈ જાેષીની આજે ૧પમી વાર્ષિક પૂણ્યતિથિ છે. ત્યારે સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સાંજે ૬ વાગ્યાથી શ્રધ્ધાંજલી અર્પણ કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જૂનાગઢનાં મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી તેમજ સાધુ-સંતોમાં ધુનડાનાં પૂ. જેન્તીરામબાપા, ચાંપરડાથી પૂ. મુકતાનંદબાપુ, પૂ. ઈન્દ્રભારતીજી મહારાજ, મેંદરડાનાં પૂ. સુખરામદાસબાપુ સહિતનાં ઓનલાઈન કાર્યક્રમમાં જાેડાય સુર્યકાંતભાઈ જાેષીને શ્રધ્ધાંજલી અર્પણ કરશે. તેમજ જાેષી પરીવારનાં મોભી ગં.સ્વ. વિજયાબેન શિવલાલભાઈ જાેષી તેમજ ગીરાબેન સુર્યકાંતભાઈ જાેષી, પુત્રી ઋષિતા મહેશકુમાર જાેષી સાઉદી અરેબીયા, પુત્ર અભિષેક અને અકિલાનાં પત્રકાર વિનુભાઈ જાેષી, શ્રીમતી મીતાબેન જાેષી, વિરલ જાેષી (ન્યુઝલેન્ડ) તેમજ મૈત્રેય જાેષી અને બેનશ્રી મધુબેન દિનેશભાઈ તેરૈયા સહિતનાં ભાવાંજલી અર્પણ કરશે. સુર્યકાંતભાઈ જાેષીની વિદાયને આજે દોઢ દાયકો થવા છતાં પત્રકાર જગતમાં તેઓની અમીટ અતુટ છાપ છોડી ગયા છે. આજે પણ લોકો તેમની નિડરતા પત્રકારત્વ ક્ષેત્રે મેળવેલ લોકચાહનાને લઈ તેમને યાદ કરે છે.

error: Content is protected !!