જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના ભાટી સહિત જિલ્લાના ૪ પોલીસ ઇન્સ્પેકટરની બદલી : સાત પીઆઇને મુકવામાં આવ્યા

0

રાજ્યના પોલીસ મહાનિરીક્ષક(વહીવટ) બ્રજેશકુમાર ઝા દ્વારા જૂનાગઢ જિલ્લા તથા વિભાગના બિન હથિયારી ૪ સહિત કુલ ૧૧૩ પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના એચ.આઇ. ભાટીની વડોદરા, જૂનાગઢના એન.આઇ. રાઠોડની રાજકોટ શહેર, જૂનાગઢ રેન્જના કે.કે. ઝાલાની પંચમહાલ અને જૂનાગઢ વિભાગના આર.વી. વાજાની ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી જે.એ. સિંધવ, સુરેન્દ્રનગરના ડી.એમ. રાવલ, અમદાવાદથી એ.ડી. ગામીત, આણંદથી આર.એન. ખાંટ, અમદાવાદથી એ.જી. જાદવ, એચ.એન. રાઠોડ અને પી.આઇ. એ.પી. પરમારને જૂનાગઢ રેન્જ અને પીટીસીમાં મુકવામાં આવ્યા છે. બદલી પામેલા તમામ પી.આઇ.ને બદલીવાળી જગ્યાએ તાત્કાલિક અસરથી છુટા-હાજર થવા જણાવાયું છે.

error: Content is protected !!