પીએમ મોદી રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂા.૭૭૧૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

0

રાજકોટમાં રૂા.૪૩૦૯ કરોડ જ્યારે મોરબીમાં રૂા.૨૭૩૮ કરોડના તથા રૂા.૬૬૩ કરોડના અન્ય જિલ્લાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : રાજકોટના ગઢકામાં ૧૧૯ એકરમાં ૨૦ લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત

આવતીકાલ ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂા.૭૭૧૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂા.૪૩૦૯ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે, જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂા.૨૭૩૮ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. તેમજ અન્ય જીલ્લાના રૂા.૬૬૩ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે અને વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. તેના લીધે ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે ચાલી રહી છે.
રાજકોટના વિકાસકાર્યો
રાજકોટમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે તે આ પ્રમાણે છેઃ લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો ૪-લેન પરાપીપળીયા રોડ, આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ)થી છૈંૈંસ્જી સુધીનો ૬-લેન ડીપી રોડ અને લોકાર્પણ કાર્યો કુલ રૂા.૩૩૬ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. તે સિવાય વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં આ કાર્યોનો સમાવેશ થાય છે જેતપુર-ગોંડલ-રાજકોટ ૬ લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, ય્ૈંડ્ઢઝ્ર(નાગલપર, ખીરસરા-૨, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-૧ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, ર્નિમલા રોડ ઉપર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી ઉપર એપ્રોન અને બંને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ ઉપર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂા.૫૭૬૨ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
અન્ય વિકાસકાર્યોની જાહેરાત
રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ રૂા.૬૪૯ કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલની જાહેરાત થશે. તે સિવાય ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી ઉપરના પુલનું પૂર્નઃનિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ વિસામણ અને ભરૂડીમાં ૬૬ કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તે સિવાય ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે.
મોરબીમાં રૂા.૨૭૩૮ કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા જાહેરાત
મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાંકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન ઉપર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.
૧૯-૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજકોટમાં અર્બન હાઉસિંગ કોન્કલેવ યોજાશે
લાભાર્થીઓને સસ્તા દરે, મજબૂત અને ગુણવત્તાસભર આવાસ મળે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિશ્વના છ દેશોની બાંધકામ ટેક્નોલોજીને પસંદ કરવામાં આવી છે. રાજકોટમાં આ અદ્યતન ટેક્નોલોજીની મદદથી આવાસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તે સંદર્ભે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ૧૯ થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન અર્બન હાઉસિંગ કોન્કલેવ યોજાશે. આ કોન્કલેવમાં વિશ્વભરના ટેક્નોલોજી પ્રદાતાઓ, અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રી, સચિવો તેમજ અધિકારીઓ, કોન્ટ્રાક્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, આર્કિટેક્ટ, સ્થાનિક કારીગરો અને અન્ય પ્રોફેશનલ્સ સામેલ થશે. અહીં બાંધકામને લગતી ટેક્નોલોજી વિષેની માહિતી, તેના પ્રશ્નો અંગે ચર્ચા અને અન્ય બાબતો વિષે સંવાદ કરવામાં આવશે. સ્થાનિક લોકો પણ અહીં ટેક્નોલોજીને લગતું પ્રદર્શન નિહાળી શકશે.

error: Content is protected !!