નરેડી થી માણાવદર જતા રોડ ઉપર અકસ્માત, એકનું મૃત્યું

0

નરેડી થી માણાવદર જતા રોડ ઉપર ગઈકાલે એક સ્વીફટ કાર પુલની પાળી સાથે અથડાતા અકસ્માત સર્જાયેલ તેમાં એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર, બાપુનગર, જાેષીપરા ખાતે રહેતા મિલનભાઈ શશીકાંતભાઈ સંચાણીયા(ઉ.વ.ર૯)એ સ્વીફટ ફોરવ્હીલ ચાલક મીત ડેકીવાડીયા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, મીત ડેકીવાડીયાએ પોતાનાં હવાલા વાળી સ્વીફટ કાર જીજે-૧૧-સીડી-૪૧રર વાળી બેફીકરાઈથી ચલાવી અને પુરઝડપે આવી રહ્યા હતા તે દરમ્યાન નરેડી ગામથી માણાવદર રોડ ઉપર પુલની પાળી સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયેલ અને તેની સાથે બેસેલ પ્રણવ મિલનભાઈ સંચાણીયાનું મૃત્યું નીપજાવી તથા હેમદિપભાઈનાં શરીરે તથા પોતાનાં શરીરે ઈજા કર્યાની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસે સ્વીફટ ફોરવ્હીલ ચાલક મીત ડેકીવાડીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી આ બનાવની વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ પી.એચ. મેવાડા ચલાવી રહ્યા છે.

માણાવદરનાં ગણા ગામે ઝેરી દવા પીતા મૃત્યું
માણાવદર તાલુકાનાં ગણા ગામનાં મણીબેન સાર્દુલભાઈ ડાંગર(ઉ.વ.પ૯)ને અગાઉ થાઈરોડનું ઓપરેશન કરાવેલ હતું જેનાં કારણે તેને ગળામાં તકલીફ હતી. આ ઉપરાંત તેનાં પતિને હાર્ટએટેક આવેલ તેનું ઓપરેશન કરાવેલ છે જેનાં કારણે મણીબેન સતત ટેન્શનમાં રહેતા હોય અને કંટાળી જઈ પોતાની મેળે ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગળાફાંસો
માળીયા હાટીના તાલુકાનાં આછીદ્રા ગામે રહેતા આરતીબા શીવુભા(ઉ.વ.ર૧)એ પોતાનાં ઘરે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે ચોરવાડ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

error: Content is protected !!