દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદને અનુલક્ષીને ખેડૂતોને ખેત ઉત્પાદીત જણસોને સલામત સ્થળે સંગ્રહ કરવા અનુરોધ

0

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણ જિલ્લાઓ અને સોરાસ્ટ્ર અને કચ્છ વિસ્તારના કચ્છ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભુમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પવન સાથે, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં વિવિધ તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. યાર્ડમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમ્યાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે. આ અંગે વધુ જાણકારી જે-તે વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

error: Content is protected !!