ખંભાળિયામાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી : ઠેર-ઠેર સ્વાગત કરાયું

0

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ગુરૂવારે સાંજે અહીંના નગર ગેઈટ પાસે આવેલા શ્રી રામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. જે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી અને પુનઃ શ્રી રામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં વિવિધ વેપારી મંડળો, એસોસિયેશન તેમજ સેવાભાવી ભક્તો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. “જય શ્રી રામ”ના ગગનભેદી નાદ તથા ડીજે અને ઢોલ ત્રાસા સાથે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જાેડાયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર આયોજન દરમ્યાન મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

error: Content is protected !!