દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ૩૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે ખંભાળિયા સહિત જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી, કોરોનાના કુલ ૩૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમ્યાન ગઈકાલે ગુરૂવારે એક પણ નવો પોઝિટિવ દર્દી નોંધાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા ચાર માસ દરમ્યાન કોરોનાના કરવામાં આવેલા કુલ ૧૭૭૫૧ ટેસ્ટ પૈકી પાંચ પોઝિટિવ કેસ આવ્યા હતા. જે તમામ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે અને એક પણ દર્દી હાલ સારવાર હેઠળ નથી. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ છે. જાે કે હાલ કોરોનાનું સંક્રમણ નહીંવત રહેતા તંત્રએ પણ રાહતનો દમ ખેંચ્યો છે.

error: Content is protected !!