છેલ્લા એક વર્ષ દરમ્યાન રાજકોટમાં વિવિધ સાઇબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિઓની કુલ ૧,૩૮૮ ફરીયાદોમાં એક કરોડથી વધુની રોકડ રકમ પરત અપાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન : નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલ

0

ફ્રોડની ફરીયાદોના નિવારણ માટે અલગ અલગ નાણાંકીય ફ્રોડ ડિટેક્શન-સોશ્યલ મીડીયા મોનીટરીંગ ટીમો બનાવી, અલગ અલગ ટેક્નીકલ એનાલીસીસ તથા સાયબર એકસ્પર્ટની મદદ દ્વારા આરોપીના મુળ સુધી પહોંચી તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગુમાવેલ રકમ અરજદારોને પરત અપાવવામાં આવે છે

ડીજીટલ યુગમાં નીતનવા નુસખા સાથે સાઇબર ક્રાઇમ આચરતા ગુનેગારોને ઓળખવા અઘરા છે તેની સામે સાઇબર ક્રાઈમને ડીટેકટ કરવા પોલીસની રીએકટ કાર્યવાહી પણ એટલી જ કપરી બની જતી હોય છે. પરંતુ જરૂર છે આવા સાઇબર માફ્રીયાઓને ઝડપી લેવા માટે ભોગ બનનાર નાગરિકોની સાયબર ક્રાઇમ અવેરનેશની એકટીવનેશ પણ એટલી જ એકટીવ હોવી જાેઈએ, જેથી પોલીસની ડિટેક્શન રીએકટીવીટીમાં સીક્રેટીવ મોનીટરીંગ કરવામાં સપોટીવ બની સાઇબર ક્રાઇમ આચરતા ગુનેગારોની આવી ક્રિએટીવીટીની કનેકટીવીટીને ઝડપી ડીસકનેકટ કરવામાં મદદનીશ બની ભોગ બનનાર નાગરિકોની પ્રોટેકટીવીટીમાં જરૂરી એકટીવનેશ લાવવામાં પણ મોટી સફળતા મળી રહેશે. ફેક આઈ.ડી, ફેક કોમર્શિયલ એકાઉન્ટ, ક્યારેક વર્ક ફોર્મ હોમના નામે તો ક્યારેક કોઈ જાણીતી કોમર્શિયલ વેબસાઈટના કસ્ટમર કેર આસીસ્ટન્ટ તરીકે કોઈને કોઈ વ્યક્તિ સાઇબર ફ્રોડનો ભોગ બનતી જ રહે છે. રાજ્ય સરકાર દ્વારા સાઇબર ક્રાઇમ અટકાયત અને તેમજ આવા ગુનેગારોને ઝડપી પકડી શકાય તે માટે સમયાંતરે પોલીસ સાઇબર એક્સપર્ટ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશના કાર્યક્રમ અલગ અલગ સ્કુલ, કોલેજ, સંસ્થા તથા કંપનીઓ ખાતે કરવામાં આવે છે. છતા ઘણીવાર આવા સાઇબર માફ્રીયાઓનો નાગરિકો ભોગ બનતા હોય છે. જેમાં ભોગ બનનાર લોકોની એકટીવ અવેરનેશ અને પોલીસની ક્રિએટીવ કનેકટીવીટીની ઝડપી રીએકટ કાર્યવાહીથી ભોગ બનનાર લોકોને તેમની રકમ તથા વસ્તુ પરત અપાવવામાં સફળતા મળી છે. સામાન્ય રીતે સાઇબર ક્રાઇમના મુખ્ય ત્રણ પ્રકાર છે સામાજિક, આર્થિક અને બિન આર્થિક. જેમાં સામાજિક પ્રકારના સાયબર ક્રાઇમમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક વગેરે સોશિયલ મીડિયા ઉપર ફેક આઈ.ડી. બનાવી બ્લેકમેઇલ કરવા, ફોટા મોર્ફ કરી કોઈ વ્યક્તિનું નામ વાપરી તેની સામાજિક શાખને દાગ લગાવવો જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. તો આર્થિક ગુનાઓમાં ઇન્વેસ્ટમેન્ટ, વર્ક ફ્રોમ હોમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લગત, બિલ ભરવાની બાબતોને લગત, વેપારીના જી.એસ.ટી. પેઢીનું નામ વાપરીને ફ્રોડ, કોમર્શિયલ વેબસાઈટ પર કસ્ટમર કેર તરીકેના ફ્રોડ જેવા પેટા પ્રકારનો સમાવેશ થાય છે. બિનઆર્થિક બાબતોમાં ઓનલાઈન ચલણ ભરવા, મેટ્રીમોનીયલ સાઇટ, કોઈ અજાણી સાઇટ લાઈક કરી કે તેને શેર કરીને મળતી ગિફ્ટ જેવા ફ્રોડ આચરવામાં આવે છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રાજકોટના સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનનાર નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરીયાદની ઉંડાણપૂર્વક તપાસ કરી તેઓને સંપુર્ણ રકમ પરત અપાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંગે ક્રાઇમ વિભાગના નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમ્યાનમાં રાજકોટમાં સાયબર ક્રાઇમની કુલ ૧,૩૮૮ ફરીયાદો આવી હતી, જેમાં સાયબર પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર દ્વારા તપાસ કરી રૂા.૧ કરોડ ૧૪ લાખ ૧૫ ૭૪૪ જેટલી રકમ અરજદારોને પરત અપાવવામા આવી છે. તથા અરજદારો દ્વારા ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર થકી કરવામાં આવતી ઓનલાઇન ફરીયાદોમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અરજદારના નાણાં તાત્કાલીક એકશન લઇ ફ્રીઝ કરવામાં આવે છે. આ ફ્રીઝ થયેલ નાણાં અરજદારને પરત અપાવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી નામદાર કોર્ટના હુકમ દ્વારા રકમ ૨૫,૮૨,૦૫૮૮ રૂા. અપાવી કુલ ૧ કરોડ ૩૯ લાખ ૯૭ હજાર ૧૦૨ રાજકોટના અરજદારોને પરત કરાવ્યા છે તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી કુલ ૮૫૨ ખોવાયેલ મોબાઇલ રીકવર કરી ખરાઇ કરી અરજદારોને પરત અપાવવામાં આવેલ છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશનર વિશાલ રબારી તથા પોલીસ ઇન્સપેક્ટર જે. બી. ડોડીયા અને કે.જે. મકવાણા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નાણાંકીય ફ્રોડ અને સોશિયલ મીડીયા થકી થતા ફ્રોડની ફરીયાદોના નિવારણ માટે અલગ અલગ નાણાંકીય ફ્રોડ ડિટેક્શન તથા સોશ્યલ મીડીયા મોનીટરીંગ ટીમો બનાવી બનેલ ગુનાઓ ડીટેકટ કરવા માટે અલગ અલગ ટેક્નીકલ એનાલીસીસ તથા સાયબર એકસ્પર્ટની મદદ દ્વારા આરોપીના મુળ સુધી પહોંચી તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અરજદાર દ્વારા ગુમાવેલ રકમ પરત અપાવવામાં આવે છે. આજ દિન સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે કુલ ૪૦થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં કુલ ૫૫ આરોપીઓ અંગે અલગ અલગ રાજ્યોમાં તપાસ કરી ગુનેગારોને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ ફોડના બનતા બનાવો અટકાવવા માટે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન કુલ ૪૩ જેટલા સાયબર ક્રાઇમ અવેરનેશના કાર્યક્રમ અલગ અલગ સ્કુલ, કોલેજ, સંસ્થા તથા કંપનીઓ ખાતે કરવામાં આવેલ છે. આ અંગે રાજકોટની જનતાને નાયબ પોલીસ કમિશનર ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, કોઇ પણ અજાણ્યા વ્યક્તિ દ્વારા મેસેજ, ઇ-મેલ મારફતે મોકલવામાં આવતી કોઇ પણ પ્રકારની લીંક ઓપન કરવી નહી તથા લોભામણી જાહેરાતોમાં ફસાવવું નહીં અને કોઇ નાણાંકીય વ્યવહાર કરવો નહી. અજાણી વ્યક્તિઓ તથા સાયબર ભેજાબાજાેને પોતાના ઓ.ટી.પી, પીન, સી.વી.વી. આપવા નહી તથા એનીડેસ્ક, કવીક સપોર્ટ, ટીમ વ્યુઅર જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી તેમજ સાયબર ભેજાબાજાેને એપ્લીકેશનનું એકસેસ આપવુ નહી. અન્ય એમ.ઓ. જેમ કે ઇલેકટ્રીકસીટી બીલ ભરેલ નથી, ક્રેડીટ કાર્ડ ચાલુ કરવા માટે, કે.વાય.સી અપડેટ માટે, ઇન્સ્ટન્ટ લોન મેળવવા, બ્લેકમેઇલીંગ વોટસએપ વિડીયો કોર્લીંગ, ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર આર્મીમેનના નામે થતા ફ્રોડ વગેરે એમ.ઓ. વાળા સાયબર ભેજાબાજાે તથા અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં આવવું નહી અને કોઇ પણ પ્રકારના નાણાંકીય વ્યવહાર કરવા નહીં. સાથે જ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોએ તાત્કાલીક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ માં કોલ કરી ફરીયાદ નોંધાવવી જેથી અરજદારની રકમ ફ્રીજ કરી રકમ પરત મેળવવામાં સરળતા રહે છે.

error: Content is protected !!