પોરબંદરમાં ગઢવી યુવાનની ર્નિમમ હત્યાના સંદર્ભે ખંભાળિયામાં ગઢવી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

0

પોલીસની કામગીરી સામે શંકા : સીબીઆઈ, એટીએસને તપાસ સોંપવાની માંગ

પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં રાત્રિના સમયે એક ગઢવી યુવાન કાયાભાઈ રામાભાઈ ગઢવીની જાહેરમાં ધમધમતા રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ત્રણ મુસ્લિમ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. આ બનાવના સંદર્ભે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના યુવાનો, આગેવાનો દ્વારા ગઈકાલે ગુરૂવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવી, આ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવી, તેમના મોબાઈલને ચેક કરવા તેમજ આ પ્રકરણમાં સંદર્ભ સંભવિત રીતે લવ જેહાદ ના ગ્રુપની સંડોવણી તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. થોડા સમય પૂર્વે પણ પોરબંદરના યુવાનની હત્યાની કોશિશમાં પ્રકરણમાં આ ગઢવી યુવાન સાક્ષી તરીકે હતો. તેથી તે મુસ્લિમ શખ્સોના નિશાના ઉપર હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. હત્યાના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે શંકા વ્યક્ત કરી, હત્યા પ્રકરણની તપાસ સી.બી.આઈ. કે એ.ટી.એસ.ને સોંપવા આ પત્રમાં માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!