જૂનાગઢમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો

0

ભાવિકોની જયાં આસ્થા રહેલી છે તેવા જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પૂનમના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામીનારાયણના સ્વહસ્તે પધરાવેલા દેવો જયાં બિરાજમાન છે તેવા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે. પૂનમના દિવસે અહીં ભાવિકોને ભારે ઘસારો રહે છે. આવતીકાલે સવારથી જ પૂજન, અર્ચન, આરતી, ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અને ભાવિકો દર્શનનો લાભ લેશે. ચેરમેન દેવનંદન સ્વામીજી, મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ પી.પી. સ્વામી સહિતના સંતો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને ભાવિકોને પણ દર્શનનો લાભ લેવા પ્રફુલભાઈ કાપડીયા દ્વારા અનુરોધ કરાયો છે.

error: Content is protected !!