આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

0

છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ થઈ છે, દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે : ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવારના ખર્ચને પહોંચી વળવા અસક્ષમ આયુષ્માન કાર્ડ થકી રૂા.દસ લાખ સુધીની સારવાર ઉપલબ્ધ થતા શ્રેષ્ઠ સારવાર માટે સક્ષમ : સાંસદ સી.આર.પાટીલ

ગ્રામ પંચાયત સ્તરે નિર્માણ પામતી અદ્યતન શ્રેષ્ઠ સુવિધાસભર હોસ્પિટલ ઉભી થઈ છે, તે છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળો પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિને આભારી છે. ગ્રામ્ય સ્તરે પાણી, રસ્તા, વિજળી સહિતની આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે જ આવી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આકાર લઈ શકે છે, જે ગુજરાતમાં છેવાડાનાં હર-એક-એક માનવી સુધી દરેક સુવિધા અને વ્યવસ્થા પહોંચી છે, તે વડાપ્રધાનશ્રીના વિકસિત રાષ્ટ્રની રાજનીતિનું ઉત્કૃષ્ટ પ્રમાણ હોવાની તેની સાબિતી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે વિશ્વમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તેના નિરાકરણ માટે વિશ્વ નરેન્દ્ર મોદી તરફ જુએ છે. ઓસ્ટ્રેલિયા સહિતના અગ્રણી દેશો જ્યારે વડાપ્રધાનશ્રીના વૈશ્વિક નેતૃત્ત્વ અને કાર્યશૈલીની પ્રસંશા કરે તે આપણા દેશ માટે ગૌરવની બાબત છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મેડિકલ ક્ષેત્રને સશક્ત કરવાના આયોજન અંતર્ગત મેડિકલ કોલેજમાં બેઠકોની સંખ્યા આજે ૧૨૦૦થી વધારીને ૮૦૦૦ જેટલી કરવામાં આવી છે અને હજુ પણ વધારવાનું આયોજન છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ભારત અમૃત કાળમાં પ્રવેશ્યું છે ત્યારે છેવાડાના માનવી સુધી દરેક સુવિધા વ્યવસ્થા પહોંચે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે કટિબદ્ધ થવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો તેમજ દાતાઓના પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અંતરિયાળ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવા બદલ ડો. ભરત બોઘરાને બિરદાવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલની કામગીરીને અભિનંદન આપતા ડો. ભરતભાઈ બોઘરા અને તમામ ટ્રસ્ટીઓને બિરદાવતા જણાવ્યું હતું કે, અહીંની અદ્યતન હોસ્પિટલમાં તબીબોની શ્રેષ્ઠ ટીમ દ્વારા ઉત્કૃષ્ટ સારવાર સાથે એક વર્ષમાં ૫૮ હજાર થી વધુ ઓ.પી.ડી. અને ૪ હજારથી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે. સી.આર. પાટિલે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવારના ખર્ચને પહોંચી વળવા સક્ષમ ના હોવાના કારણે તેઓની બીમારી છુપાવતા અને સારવારથી દૂર રહેતા હતાં. તેમની આ વ્યથા, ચિંતાને દૂર કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન કાર્ડ યોજના થકી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રૂા.પાંચ લાખની વિનામૂલ્ય સારવાર ઉપલબ્ધ કરાવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખની સહાય ઉમેરી કુલ રૂપિયા દસ લાખ સુધીની તબીબી સારવાર હવે જરૂરિયાતમંદોને નિશુલ્ક સુવિધાની વ્યવસ્થા કરાઈ છે. તેઓએ આ તકે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના ૯ વર્ષમાં કાર્યકાળમાં થયેલા લોકકલ્યાણના કામોનો ચિતાર રજુ કરી દેશને અપાવેલ ગર્વની સરાહના કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સી.આર.પાટીલે તમામ દાતાઓનું સન્માન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ સી.આર.પાટીલ વિન્ટેજ કારમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાએ સ્વાગત પ્રવચનમાં પરવાડીયા હોસ્પિટલની કાર્ય પદ્ધતિ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે ટૂંકી રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, પરવાડીયા હોસ્પિટલ દરેક ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની અદ્યતન શ્રેષ્ઠ સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવતી માનવીય અભિગમ ધરાવતી હોસ્પિટલ છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન કાર્ડ યોજના થકી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રૂા.પાંચ લાખની વિનામૂલ્ય સારવાર ઉપલબ્ધ કરાવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખની સહાય ઉમેરી કુલ રૂપિયા દસ લાખ સુધીની તબીબી સારવાર હવે જરૂરિયાતમંદોને નિશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ છે જેનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મેડિકલ ક્ષેત્રને સશક્ત કરવાના આયોજન અંતર્ગત મેડિકલ કોલેજનું પણ આયોજન હોવાનું બોઘરાએ ઉમેર્યું હતું. આ પ્રસંગે આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હોસ્પિટલની કામગીરી રજૂ કરતી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રસારણ પણ કરાયું હતું. આ તકે મંત્રીસર્વે રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને કૌશિકભાઈ વેકરીયા, સંસદ સભ્યો તથા ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ મેયર પ્રદીપ ડવ, રાજકોટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, અલ્પેશ ઢોલરીયા, મુકેશભાઈ દોશી, લવજીભાઈ બાદશાહ, મૌલેશ ઉકાણી સહિતના અગ્રણીઓ, કલેક્ટર પ્રભવ જાેશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, પ્રાંત અધિકારી રાજેશ આલ, સંતો-મહંતો, હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરઅનું લોકાર્પણ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કે.ડી.પરવાડીયા હોસ્પિટલના માધ્યમથી છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ પહોંચાડી શકાઈ છે.

error: Content is protected !!