કોડીનાર જામવાળા ગીરના સુપ્રસિદ્ધ સાત મહાદેવના મહંત જમનાદાસજીબાપૂ બ્રહ્મલિન થયા

0

જમનાદાસજી બાપુ મોટો સેવક સમુદાય ધરાવતા હોય બાપુના બ્રહ્મલિનના સમાચારથી સેવક સમુદાયમાં શોક પ્રસરી ગયો : ૨ દિવસ દર્શને માટે રખાયા બાદ તા.૯ના રોજ જમદગ્નિ આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર કરાયો

જામવાળા ગીર ખાતે ગીર જંગલ પાસે આવેલા અતિ પ્રાચીન સુપ્રસિધ્ધ સાત મહાદેવ મંદિરના પંચાયતી બડા અખાડા ઉદાસીન સપ્તઋષિ આશ્રમ જામવાળાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ જમનાદાસજી મહારાજ ગુરૂશ્રી સરસ્વતી દાસજી બાપુ તા.૮ને ગુરૂવાર જેઠ વદ પાંચમના રોજ બ્રહ્મલિન થયેલ તેમના અંતિમ દર્શન તા.૮ને ગુરૂવાર બપોરે ૪ વાગ્યાથી તા.૯ને શુક્રવાર સવારે ૧૦ વાગ્યાં સુધી રાખવામાં આવેલ હતા. તેમજ તા.૯ ને શુક્રવારે સવારે ૧૦ કલાકે જમદ્દગની આશ્રમ, જમજીર જામવાળા ખાતે શાસ્ત્રોક વિધિ અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતું તેમ જમદગની આશ્રમના મહંત શ્રી હરિદાસ બાપુએ અખબારી યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમનાદાસ બાપુ ગીર વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં મોટો સેવક સમુદાય ધરાવતા હોય બાપુના બ્રહ્મલીના સમાચાર મળતા સેવક સમુદાયમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે તેમજ દૂર-દૂરથી દરેક સેવકો બાપુના અંતિમ દર્શન કરવા અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જામવાળા ખાતે ઉમટી પડ્યા હતા.

error: Content is protected !!