જામકંડોરણા આઈટીઆઈ ખાતે પ્રીન્સીપાલ વાઘમશીની બદલી થતા તેમનો વિદાય સત્કાર સમારોહ કરાયો

0

જામકંડોરણા આઈટીઆઈમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વાઘમશીની બદલી રાજકોટ થતા જામકંડોરણા આઈટીઆઈ સ્ટાફ પરિવાર વતી તેમનો ભવ્ય વિદાય સન્માન સમારોહ કર્યો હતો. તેમજ નવા પ્રિન્સિપાલ મોઢાએ ચાર્જ સંભાળતા તેમનું વેલકમ કર્યુ હતું. જામકંડોરણા આઈટીઆઈ સ્ટાફ પરિવાર દ્વારા વાઘમશીનું સાલ ઓઢાડી ભવ્ય સન્માન કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન સમારોહનું પણ આયોજન કરેલ હતું. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કે.એસ. જાડેજાએ કર્યું હતું.

error: Content is protected !!