ખંભાળિયામાં આશાપુરા માતાજીના મંદિરના નિર્માણ માટે રૂપિયા પાંચ લાખનું અનુદાન

0
ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દસમી નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી તથા પૂજન અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખંભાળિયાના પાદરમાં ખામનાથ મહાદેવના મંદિર નજીક આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે રાજપૂત સમાજના આગેવાનો, કાર્યકરો યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર હાલાર પંથકના રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાના વરદ હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું. આ સ્થળે આગામી સમયમાં આશાપુરા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મંદિર માટે પી.એસ. જાડેજા દ્વારા રૂપિયા પાંચ લાખના અનુદાનની જાહેરાત પણ કરવામાં આવી હતી. અહીં પી.એસ. જાડેજાનું ફૂલહાર તથા માતાજીની છબી વડે સન્માન કરવામાં આવ્યું હતું.
error: Content is protected !!