વેરાવળના આશાસ્પદ રઘુવંશી યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર

0

“આજે મૈ કરેલી સેવારૂપી ભુલની સજા મૈને આપું છું મારૂ જીવન ટુંકાવું છું” આ અંતિમ શબ્દો છે વેરાવળના આશાસ્પદ રઘુવંશી યુવાનના જેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા શહેરભરમાં ચકચાર પ્રસરી ગઈ છે. મૃતકની સુસાઈડ નોટ, મોબાઈલ અને ડાયરી સહિતની વસ્તુઓ કબ્જે લઈ પોલીસે એડી દાખલ કરી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે.
વેરાવળની મહિલા કોલેજ પાછળ રહેતા અને ઓપો મોબાઈલ કંપનીના મેનેજર પીયૂષભાઈ (ભીખાભાઈ) પટેલીયા ગઈકાલે ઘરના તમામ પરીવારજનો સાથે પારીવારીક પ્રસંગમાં ગયા બાદ કામ અર્થે ત્યાંથી નીકળી જઈ બપોરે ઘરે આવી પોતાના રૂમમાં દોરી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા શહેરભરમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. બાદમાં સ્થળ ઉપર દોડી આવેલ પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવેલ જે કબ્જે લઈ પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્વ.પીયૂષભાઈ રઘુવંશી લોહાણા સમાજમાં સેવાભાવી સાથે મોટું મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી આજે સવારે તેમની નિકળેલ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં રઘુવંશી સહિત તમામ સમાજના વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં શોક સાથે હાજર રહ્યા હતા. તો બીજી તરફ આ મામલે મૃતકના મોબાઈલો, ડાયરી સહિતની વસ્તુઓ કબ્જે લઈ તેમના પુત્રના નિવેદન સાથે એડી દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!