વિસાવદર તાલુકાના સુખપુર ગામે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી લેઉવા પટેલ ભવનનું ભવ્ય લોકાર્પણ

0

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નમુના રૂપ બને તેવું પટેલ સમાજ ભવન વિસાવદર તાલુકાના સુખપુર ગામે બનાવવામાં આવ્યું છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણીના માતા પિતા માતૃ કુંવરબેન રામજીભાઈ રામાણી લેઉવા પટેલ ભવન નું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું .આ તકે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સમાજને સંગઠિત થવા માટે સમાજ શિક્ષિત બને કુરિવાજાે નાબૂદ કરે અને સંપથી રહીને સમાજ ભાવના કેળવી એકબીજાની મદદ કરી સમાજને આગળ લેવાનો પ્રયત્ન કરે તેઓએ વધુમાં જણાવ્યું કે આટલા નાનકડા એવા ગામમાં કે જ્યાં લેવા પટેલ સમાજના ૧૧૫ જ ઘર હોય અને ૧૫,૦૦૦ સ્કવેર ફીટ નું બાંધકામ કરી ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે કે તબુડી જેવા ગામમાં હાંડલા જેવો સમાજ બનાવ્યો છે સાથોસાથ આ ગામના વતની પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણી સાથેના તેમના ૧૯૮૫ થી પારિવારિક રીતે સંબંધો રહ્યા છે આજની તારીખે તેનું પણ ગૌરવ લીધું હતું તેમને વિસાવદર ભેસાણ મત વિસ્તારની ખાસિયત બતાવતા કહ્યું હતું કે અહીંના મતદારોને હું ૧૯૯૫ થી ઓળખું છું.
સમગ્ર રાજ્યમાં લોકો કંઈ વિચારતા હોય અને અહીંયા મતદારો કંઈક અલગ મિજાજ ના હોય છે એટલે કે આ તાલુકાના લોકો ખુમારી ભરી રીતે વિશેષતા ધરાવે છે.
આ પ્રસંગે સમાજના ભામાશા એવા લક્ષ્મી ડાયમંડ ગ્રુપના વસંતભાઈ ગજેરા એ હાજરી આપી સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે સમાજની અંદર રહેલા વ્યસનો દૂર કરવા માટે લોકોએ સંકલ્પ જાેઈએ સમાજની અંદર ભેગા રહેવાની ભાવના જે દૂર થતી જાય છે એ આત્મઘાતક છે. સૌએ સંપીને કુટુંબમાં રહીને કામ કરવું જાેઈએ તો જ કુટુંબ અને સમાજ સમૃદ્ધ થશે આજે પોતે શિક્ષણ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મોટી કામગીરી કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને અમરેલીમાં થઈને ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ પોતાની સંસ્થામાં શિક્ષણ લઈ રહ્યા છે. અમરેલી સિવિલ હોસ્પિટલ નું સંચાલન લઈને ત્યાં પણ મોટી કામગીરી કરી રહ્યા છે સુરતમાં વાત્સલ્ય ધામમાં નિરાધાર બાળકોને લાવીને શિક્ષણ આપીને રોજગારી મળે ત્યાં સુધી નિભાવ કરી રહ્યા છે સમગ્ર સુખપુર ગામની ટીમને અભિનંદન આપીને પોતાના તરફથી રૂપિયા પાંચ લાખ જેવું મતદાર દાન ભવનને અર્પણ કરવામાં આવ્યું હતું.
સરદાર ધામના ચેરમેન એવા ગગજીભાઈ સુતરીયા એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમાજના દીકરાઓ દીકરીઓને યુપીએસસી જીપીએસસી માં સરદારધામ ખાતે ટ્રેનીંગ આપીને અત્યાર સુધીમાં ૫૦૦ દિકરા દીકરીઓ ક્લાસ વનમાં સિલેક્ટ થયા છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦,૦૦૦ દીકરા દીકરીઓ અઘિકારીઓ બને તેવી ટ્રેનિંગ માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ સરદાર ધામ બનાવી
સમાજલક્ષી જાગૃતિનું આહવાન કર્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા પાટણના ધારાસભ્ય અને ઉત્તર ગુજરાત ખોડલધામ કમિટીના કન્વીનર કિરીટ ભાઈ પટેલ ,ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, કનુભાઈ ભાલાળા, લલીતભાઈ કથગરા,ભુપતભાઈ ભાયાણી, હર્ષદભાઈ રીબડીયા, સાવનભાઈ રમેશભાઈ ધડુક, ભક્તિ ગ્રુપ સુરતના ચેરમેન રમેશભાઈ ગજેરા સિદ્ધાંત લાઈમ કંપનીના ગોવિંદભાઈ પટોડીયા મધુરમ કન્સ્ટ્રક્શન જયંતીભાઈ વઘાસિયા કે કે કાનગડ બિલ્ડર રાજકોટ, કિરીટભાઈ પટેલ, સચી જીઆઇડીસી પ્રમુખ નિલેશભાઈ લીંબાસીયા, ભરતભાઈ અમીપરા, વિજયભાઈ બુહા વલ્લભભાઈ ઠુંમર, ભુપેન્દ્ર સુખડિયા, જયેશભાઈ કાંકરીયા, મથુરભાઈ રાદડિયા, વિજયભાઈ સોજીત્રા સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજ ભવન બનાવવા નેતૃત્વ પૂરું પાડનાર બીપીનભાઈ રામાણી, ડો.પિયુષ વડાલીયા, પ્રમુખ મનસુખભાઈ ડોબરીયા તેમજ કાર્યક્રમ સફળ બનાવવા માટે પરસોતમભાઈ સોજીત્રા, સવજીભાઈ ગોંડલીયા, જમનભાઈ તળાવિયા, રમેશભાઈ તળાવિયા, કેસુભાઈ વડાલીયા, જગદીશ રામાણી, રમેશ વડાલીયા, ઘનશ્યામ ગોંડલીયા, ભાવેશ રામાણી, સુરેશ હિરપરા, નવનીત ગોંડલીયા, નિલેશ તળાવિયા સહિતનાઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

error: Content is protected !!