સંત શિરોમણી સદગુરૂ દેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૪મી પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે

0

દ્વારકામાં આગામી ચૈત્ર વદ પાંચમ તારીખ ૨૯-૪-૨૦૨૪ સોમવારના રોજ સંત શિરોમણી કરૂણા અવતાર સદગુરૂ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની ૫૪મી પુણ્યતિથિ ઉત્સવ અખંડ હરિનામ સંકીર્તન મંદિર રામધૂન દ્વારા ઉજવવામાં આવશે જેમાં સવારે ૮ઃ૩૦ વાગ્યે સમુદ્ર પૂજન, ૧૦ઃ૩૦ વાગ્યે અભિષેક પૂજન, બપોરે ૧૨ વાગ્યે ઉત્સવ આરતી, બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે શ્રી ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ બ્રહ્મપુરી નંબર-૧માં મહાપ્રસાદ તેમજ સાંજે ૬ઃ૩૦ વાગ્યે નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાની ધર્મપ્રેમી જનતાને આ ઉત્સવનો લાભ લેવાનુ ભાવ ભરેલું આમંત્રણ અખંડ સંકીર્તન મંદિર રામધૂનના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવ્યું છે.

error: Content is protected !!