માંગરોળ પંથકમાં પાઈપ અને તલવાર વડે હુમલો : ચાર સામે ફરિયાદ

0

માંગરોળ પંથકમાં પાઈપ અને તલવાર વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે અને ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી હનીફભાઈ ઈબ્રાહીમભાઈ ચાંદા(ઉ.વ.૪૦) રહે. કલતપર સિંહવાવ સીમ વિસ્તાર સીમશાળા પાસે માંગરોળ વાળાએ ઈસ્માઈલ આહમદ ચાંદા, ઈબ્રાહીમ આહમદ ચાંદા, તાહીર ઈસ્માઈલ, સાજીદ ઈસ્માઈલ રહે.માંગરળ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી અને તેનો ભત્રીજાે હાસીમ ઉમર ચાંદા બંને માંગરોળ મજુરી કામે મોટરસાઈકલ લઈ જતા હતા ત્યારે આ કામના આરોપી નં-૧, રનાઓએ ફરિયાદી તથા સાહેદની મોટરસાઈકલ પાછળ આવી આરોપી નં-૧ના હાથમાં લોખંડનો પાઈપ વડે સાહેદ હાસીમભાઈના શરીરે ઘા કરતા ફરિયાદી તથા હાસીમ મોટરસાઈકલ સાથે નીચે પડી જતા આરોપીઓએ ભુંડી ગાળો બોલી ફરિયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો તથા પાઈપ વડે માર મારી તેમજ આરોપી નં-૧નાએ સાહેદ હાસીમને તલવાર વડે માથાના ભાગે એક ઘા મારી ઈજા કરી તેમજ બીજા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને લાકડી વડે ધોકા વડે શરીરે આડેધડ માર મારી ઈજાઓ કરી જીવતા રહેવા નહી દઈએ એમ ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!