જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭મા પ્રાગટય મહોત્સવની ભક્તિભાવ પુર્વક ઉજવણી થશે : વિવિધ કાર્યક્રમો

0

જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવ અંતર્ગત મોટી હવેલી ખાતે તા.૩ થી પ ત્રણ દિવસ દરમ્યાન પદયાત્રા, નાટીકા, ધર્મ સભા, નૃત્ય, રાસ, પાઠશાળાના બાળકોના વકતવ્ય સહિતના વિવિધ કાર્યક્રમ દ્વારા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ અંતર્ગત મોટી હવેલી ઉત્સવ સમિતિ દ્વારા મોટી હવેલી ખાતે તા.૩ થી પ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રથમ દિવસે શુક્રવારે વહેલી સવારે મોટી હવેલીથી દામોદર કુંડ મહાપ્રભુજીની બેઠક સુધી પદયાત્રા યોજાશે. સાંજે મોટી હવેલીના ગોસ્વામી પિયુષબાવાના વકતવ્ય, રાત્રે પુષ્ટી સંસ્કાર સખી પરિવાર દ્વારા નાટીકા અને કિર્તન, બીજા દિવસે શનિવારે સવારે ધર્મ સભા, સાંજે પ્રવચન, પુષ્ટી સંસ્કાર સખી પરિવાર યુથ વિંગ દ્વારા નૃત્ય ત્યારબાદ રાસ કાર્યક્રમ યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે રવીવારે સાંજે પુષ્ટી સંસ્કાર શાળાના બાળકો દ્વારા નૃત્ય, વકતવ્ય પ્રદર્શિત કરાશે ત્યારબાદ વલ્લભીય યુવા સંગઠન દ્વારા જ્ઞાનવર્ધક પુષ્ટી પ્રશ્ન મંચ કિવઝનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડશે. ત્રિદિવસીય કાર્યક્રમને લઈ મોટી હવેલી ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!