છોડવડી ગામે ગૌ કથા મહોત્સવ અને સંતોની ધર્મસભા યોજાઈ

0

જામકંડોરણા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા પૂ. ભગવતીદાસ બાપુનું સન્માન કરાયું

ભેંસાણ તાલુકાના છોડવડી ગામે ગિરનારની ગોદમાં શ્રી રાધેશ્યામ ગૌશાળા ખાતે પ.પૂ.શ્રી શ્રી મહામંડલેશ્વર ભગવતીદાસ બાપુના સાનિધ્યમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ચાલતા ગૌ કથા મહોત્સવ અને સંતો-મહંતોની ધર્મસભામાં હાજરી આપી હતી. પ.પૂ.મહામંડલેશ્વર શ્રી શ્રી ભગવતીદાસ બાપુના હસ્તે સન્માનિત થઈને ધન્યતા અનુભવી હતી. જામકંડોરણા ગૌરક્ષક સેવા સમિતિની ટીમએ પૂ.ભગવતીદાસ બાપુનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા. જામકંડોરણાથી ગૌસેવક દિલીપભાઈ કોયાણિ, સુરેન્દ્રસિંહ વાળા, નાગદેવસિંહ જાડેજા, ભરતભાઈ સતાસિયા, જીતુભાઈ પેથાની, ધીરૂભાઈ અમીપરા, વિમલભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!