માણાવદરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાના બે બનાવ

0

માણાવદરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાના બે બનાવો બનવા પામ્યા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, માણાવદરના રઘુવીરપરામાં રહેતા મુળુભાઈ ખીમાભાઈ કડેગીયા(ઉ.વ.૬૦)એ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ઘરના રૂમમાં નળીયાના આડસરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. જયારે અન્ય એક બનાવમાં ગીરીરાજ નગર ખાતે રહેતા ભાવિશાબેન અમીતભાઈ ભડાણીયા(ઉ.વ.૩૮) છેલ્લા ૩ મહિનાથી રિસામણે આવેલ હોય જેથી તેને લાગી આવતા પોતાની મેળે દોરડા વડે ઘરના હુંકમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. ઉપરોકત બંને બનાવ અંગે માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!