શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૩-૦૭-૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા તથા ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. શ્રી કષ્ટભંનજન દેવ હનુમાન દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!