જામનગરના ચેક રિટર્ન કેસના છ માસથી નાસતા ફરતા આરોપીને ખંભાળિયા પોલીસે દબોચી લીધો

0

ખંભાળિયાના ન્યુ હરીપર ગામના મૂળ રહીશ અને હાલ અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા સદ્દામ સતાર સંઘાર નામના શખ્સ વિરૂધ્ધ રૂા.૧,૩૮,૩૦૦ ની કિંમતના ચેક રિટર્ન અંગેની ફરિયાદના અનુસંધાને જામનગરની અદાલત દ્વારા ઉપરોક્ત આરોપીને એક વર્ષની કેદ તથા દંડનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. પરંતુ આ આરોપી છેલ્લા આશરે છ માસથી નાસી છૂટ્યો હતો. જે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા રાજાભાઈ હુણ અને કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને પોલીસે ઝડપી લઇ, કોર્ટમાં રજૂ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

error: Content is protected !!