ચાંપરડાના સુરેવધામમાં પુ. મુક્તાનંદબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમા મહોત્સવ

0

શનીવારે રાત્રે લોકડાયરામાં રાજભા ગઢવી જમાવટ કરશે : રવિવારે ગુરૂપૂજન મહાપ્રસાદ તેમજ ૧૦૮ વૃક્ષોનું વાવેતર કરાશે

ચાંપરડા સુરેવધામ ખાતે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉજવાનાર છે. જેમાં શનીવારે રાત્રે લોકડાયરો યોજાશે જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી જમાવટ કરશે અને ગુરૂપુર્ણિમા નિમીતે રવિવારે સવારે ગુરૂપૂજન, બપોરે મહાપ્રસાદ તેમજ ૧ વાગ્યે પુ. બાપુની પ્રેરણાથી માવજત ફાઉન્ડેશનનો પ્રારંભ થશે અને તેના દ્વારા ૧૦૮ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેની ઉપર પિંજરા મુકાશે અને તેમાં ખાતર નાખવામાં આવશે અને તે મોટા થાય ત્યાં સુધી માવજત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જાેડાવવા સૌને નિમંત્રણ પાઠવવામાં આવ્ગયું છે.

error: Content is protected !!