પુ. ઈન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં ઘાંટવડના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે ગુરૂપુર્ણિમા મહાપર્વ ઉજવાશે

0

પૂર્વ સંધ્યાએ સંતવાણી અને પ્રેમ ભારતી બાપુની સમાધીનું પૂજન, હોમાત્મક યજ્ઞ, મહાપ્રસાદ


ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ખાતે આવેલ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા મહાપર્વની પુ. ઈન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં શનિવારે રાત્રે ૯ કલાકે સંતવાણીના કાર્યક્રમમાં નામીઅનામી કલાકારો જમાવટ કરશે. તેમજ રવિવારે ગુરૂપુર્ણિમાના પાવન પર્વે પુ. ઈન્દ્રભારતી બાપુ દ્વારા સવારે ૧૦ કલાકે દતાત્રેય ભગવાનનું પૂજન અને ગુરૂશ્રી પ્રેમભારતી બાપુની સમાધીનું પૂજન કરવામાં આવશે. ત્યાર બાદ સેવક સમુદાય દ્વારા પુ. ઈન્દ્રભારતી બાપુનું પૂજન કરવામાં આવશે. તેમજ હોમાત્મક યજ્ઞ અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો આ મહાપર્વનો લાભ લેવા મહામંડલેશ્વર પુ. મુક્તાનંદ ભારતી બાપુએ નિમંત્રણ પાઠવ્યું છે.

error: Content is protected !!