કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિનું વિસર્જન પહેલાં પુજા અર્ચના કરવામાં આવશે

0

માનવ સેવા સમાજ ટ્રસ્ટ કેશોદ દ્વ્રારા છેલ્લા પચ્ચીસ વર્ષથી વર્ષમાં બે વખત મૃતાત્માઓના અસ્થિનું હરિદ્વાર ખાતે ગંગાજીમા પીડદાન કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવે છે. કેશોદ તથા આજુબાજુના વિસ્તારમાંથી સ્વજનોના અસ્થિ એકઠા કરી હરિદ્વાર મુકામે માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં સ્વખર્ચ ભુદેવોની હાજરીમાં ધાર્મિક વિધિથી આ અસ્થિઓ વિસર્જન કરવામાં આવે છે. તારીખ ૧૩-૯-૨૦૨૪ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે કેશોદ સ્મશાન ખાતે સ્વજનોની હાજરીમાં છ માસમાં એકત્રિત થયેલાં અસ્થિઓને ફુલહાર કરીને હરિદ્વાર ગંગાજીમાં વિસર્જન કરવા અંતિમ વિદાય આપવામાં આવશે. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં છ માસમાં મૃત્યું પામેલા મૃતાત્માઓના સ્વજનો પરિવારજનોને પધારવા જણાવ્યું છે.

error: Content is protected !!