માળીયાહાટીના તાલુકાના અમરાપુરનો યુવાન મહિલાને છરી ઝીંકી તેની સગીર દીકરીનું અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ

0

માળીયાહાટીના તાલુકાનાં અમરાપુર ગામનો પરેશ ગોવિંદ મેર નામનો યુવાન એક ગામની મહિલાને છરી ઝીંકી તેની સગીર દીકરીનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મહિલાએ માળીયાહાટીના પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ૧૭.૬ વર્ષની સગીર વયની દીકરી સાથે મોબાઈલ ફોનથી પરેશ ગોવિંદ સંપર્કમાં આવી સંબંધ કર્યો હતો. અને આ માટે સગીરાને મોબાઈલ ફોન પણ આપ્યો હતો. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી વાતચીત થતી હતી. આ દરમિયાન સોમવારની સાંજે પરેશ સગીરાના ઘરે તેને ભગાડી જવા માટે પહોંચ્યો હતો. ત્યારે તરુણી તેની માતા સાથે ઘરે હતી. આ શખ્સનો ખરાબ ઈરાદો જાણી જતા મહિલાએ તેનો પ્રતિકાર કર્યો હતો પરંતુ શખ્સે મહિલાને છરી ઝીંકી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરાનું અપહરણ કરી ગયો હતો. આ હુમલામાં ઇજા થતા મહિલાને માળિયા ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને માળિયાના મહિલા પીએસઆઇ એસ. આઇ. સુમરાએ મહિલાની ફરિયાદ લઈને પોક્સો, એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ માંગરોળના ડીવાયએસપી ડી.વી. કોડીયાતર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!