વિજયાદશમી(દશેરા)શનિવારનિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથીઅધર્મ ઉપર ધર્મની જીતનુ પ્રતિક, બુરાઈ ઉપર અચ્છાઈની જીતનું પ્રતિક છે વિજયાદશમી(દશેરા). પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે. વિજયાદશમી(દશેરા) નિમિતે તા.૧૨-૧૦-૨૦૨૪ને શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાઅને દાંડિયા -શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શન-આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે વિજયા દશમી નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગોંડલમાં બે દિવસની મહેનતે તૈયાર થયેલા શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા છે. હનુમાનજીના સિંહાસને નાળિયેર, માટલી અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આજે સાંજે હનુમાનજીનું રાજોપચાર પૂજન અને તેમની સમક્ષ શસ્ત્ર પૂજન પણ કરાશે.

error: Content is protected !!