દ્વારકામાં યોજાયેલ ૧૦૯માં નેત્રયજ્ઞમાં કુલ ૧૦૨ દર્દીઓએ લાભ લીધો

0

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકા અને માતુશ્રી મોંધીબેન હ. વિ.ગો. મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિઃશુલ્ક ૧૦૯ માં કેમ્પમાં ૧૦૨ દર્દીઓની ટ્રીટમેન્ટ કરેલ તે પૈકી ૪૪ દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂરીયત હોય તેઓને કેમ્પના દિવસે જ પૂજય શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ લઈ જઈ, નિઃશુલ્ક ઓપરેશન કરી નેત્રમણી બેસાડી ટ્રીટમેન્ટ કરી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને લાવવા-લઈ જવા રહેવા-જમવાની સુવિધાઓ પણ નિઃશુલ્ક કરેલ છે. કેમ્પમાં દિપ પ્રાગટ્ય લોહાણા મહાજન ટ્રસ્ટી જીતેશભાઈ દાવડા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના અશ્વિનભાઈ ગોકાણી કે.જી હિંડોચા, ડો.ધર્મેન્દ્રભાઈ મજીઠીયા વગેરે મહાનુભાવોની ઉપરિસ્થતિમાં થયેલ. સૌ ઉત્સાહી કાર્યકરોએ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતો.

error: Content is protected !!