સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢનાં સમસ્ત સત્સંગી જાેગ દર્શન માટે સુચના

0

પવિત્ર શ્રાવણ માસમાં જૂનાગઢ જવાહર રોડ ખાતે આવેલા સુવર્ણ મુખ્ય સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજમાન રાધારમણદેવ મહાપ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવજીને વિષે અનન્ય શ્રધ્ધા અને આસ્થા ધરાવતા તમામ ધર્મપ્રેમી સત્સંગીજનોની લાગણીને ધ્યાને લઈ મુખ્ય મંદિરમાં સરકારનાં નિયમોને આધિન દર્શનાર્થી માટે વિશેષ છુટ આપવામાં આવી છે. જેમાં દરરોજ સવારે ૮ થી ૧૦ તથા સાંજે ૪ થી ૬ દરમ્યાન તમામ ભકતજનો દર્શન કરી શકશે. આ દરમ્યાન શકય હોય તો ઓનલાઈન દર્શન કરી સહયોગ આપવા વિનંતી છે. દર્શનાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે જેમાં ૧૦ વર્ષથી નાના તથા ૬પ વર્ષથી મોટી ઉંમરનાં ભકતોને પ્રવેશ મળશે નહી, માસ્ક પહેરવું ફરજીયાત છે, દર્શન દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું ફરજીયાત છે, દર્શન કરી તુરંત મંદિર પરીસરની બહાર નીકળી જવું, ફરજીયાત સેનેટાઈઝર થવાનું રહેશે. આ પ્રમાણે દર્શન કરી સ્વયંસેવકોને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!