ર૦મી એપ્રિલની ડેડલાઈનને લઈને ગુજરાત સરકારે છુટછાટો માટે કરી મહત્વની જાહેરાતો

0

વિશ્વવ્યાપી મહામારી કોરોનાનાં વધતા સંક્રમણ અટકાવવની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજયમાં પણ તા.૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારે વાણિજયીક અને ઉદ્યોગ એકમો સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીત જાહેર કરી છે. તેનાં અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીનાં સચિવ અશ્વિની કુમારે આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને નકકી કરશે. મુખ્યમંત્રીએ આપેલા દિશાનિર્દેશો મુજબ જીલ્લાકક્ષાએ વાણિજયીક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટોનાં અમલ માટે જીલ્લા કલેકટરો અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવમાં આવી છે. જેમાં જી.આઈ.ડી.સી.નાં સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગનાં અધિકારી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઈન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશ્નર તેમજ સભ્ય સચિવ તરીકે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ વાણિજયીક અને ઓૈદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરે તેની મંજુરીઓ કેટલાક નિયમોને આધિન રહીને આપશે એમ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. વાણિજયીક અને ઉદ્યોગ સંબંધિત એકમો તા.ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કર શકાશે. પરંતુ કોરોના વાયરસનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને આવા એકમોએ થર્મલ ગન, સેનિટાઈઝેશન, ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ, સ્ટેગર્ડ લંચ ટાઈમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઈમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. એટલું જ નહી કેમ્પસમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે અને જા તે શકય ન હોય તો કર્મચારીઓ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે સલામત ટ્રન્સપોર્ટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આ તકેદારીઓ-નિયમોનું ઉલ્લંઘન કે ભંગ થશે તો મંજુરી પરત લઈ ઉદ્યોગ વાણિજયીક એકમો બંધ કરાવી દેવાશે એમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીનાં સચીવે વધુ વિગતો આપતા જણાવ્યું કે, ઉદ્યોગોમાં ૧ર કલાકની શીફટ રાખવાની રહેશે અને આ માટે પ્રપોશનેટલી વધુ વતેન અપાશે. તેમજ મહિલા કામદારો પાસેથી સાંજે ૭થી સવારે ૬ વાગ્યા સુધી કામ લઈ શકાશે નહી. તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે. આવી મંજુરી આપવા માટે જે તકેદારી રાખવાની છે તેમાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઈપણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ ઉપર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે. ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સ મુજબ રાજયમાં પણ તા.ર૦મી એપ્રિલથી ગ્રામીણ વિસ્તારોમાં મનરેગાના કામો શરૂ કરી શકાશે. આવા કામોમાં સિંચાઈ, જળસંવર્ધનનાં કામોને અગ્રતા અપાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મનરેગાના કામ ઉપર આવનારા શ્રમિકો માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ પણ ફરજિયાત રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વરોજગારી સાથે સંકળાયેલા અને જેઓ રોજનું કમાઈને રોજ ખાનારા છે તેવા ઈલેકટ્રીશ્યન, પ્લમ્બર, કારપેન્ટર, મોટર મીકેનીક જેવા કારીગરોને કામકાજ શરૂ કરવાની મંજુરી આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આવા વ્યકિતઓએ પણ ફરજિયાત પણે માસ્કનો ઉપયોગ સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશ તેમ મુખ્યમંત્રીનાં સચિવે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારનાં દિશાનિર્દેશો મુજબ રાજયમાં પણ આગામી તા.ર૦મી એપ્રીલથી મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર બહારનાં વિસ્તારોમાં માર્ગોના બાંધકામ, સિંચાઈ પ્રોજેકટસ, બાંધકામ અને એમએસએમઈ સહિતનાં તમામ પ્રકારનાં ઓૈદ્યોગિક પ્રોજેકટસ કાર્યરત કરી શકાશે તેવું મુખ્યમંત્રીએ સૂચવેલું છે. આવા પ્રોજેકટસ પૂનઃ શરૂ કરતા પૂર્વો શ્રમીકો-કામદારો માટે જરૂરી માસ્ક, સેનિટાઈઝેશન સુવિધા, સોશ્યલ ડિસ્ટન્સીંગ નોર્મ્સનું પાલન પણ અવશ્ય કરવાનું રહેશે. રાજયમાં શહેરી વિસ્તારોમાં, મહાપાલિકા, નગરપાલિકા હદમાં નિર્માણાધિન બાંધકામનાં એવા પ્રોજેકટસ કે જયાં શ્રમિકો-કામદારોને રહેવાની વ્યવસ્થા પ્રોજેકટ સ્થળે જ ઈન-સી-ટુ-કન્સ્ટ્રકશન હોય અને બહારથી શ્રમિકો લાવવા પડે તેમ ન હોય તેવા પ્રોજેકટ પણ કાર્યરત કરી શકાશે. આ વ્યવસ્થામાં પણ ફરજિયાત માસ્ક, સેનિટાઈઝેશન અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ધ્યાન રાખવાની સૂચનાઓનું પાલન કરવું પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

error: Content is protected !!