મુખ્યમંત્રી રાહત ફંડમાં લોઢવા ગામ તરફથી રૂ.૭૦૦૦૦નું દાન

0

સમસ્ત વિશ્વમાં હાલમાં કોરોના રોગની મહામારી છે. અને ગુજરાત રાજયમાં પણ કોરોના રોગનો ફેલાવો થઈ રહ્યો છે. અને લાંબો લોકડાઉન હાલમાં ચાલી રહ્યો છે. સરકાર પણ કોરોના રોગ માટે સારી કામગીરી કરી રહી છે. તેથી લોઢવા સમસ્ત ગ્રામજનો દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રી ફંડ માટે રૂ.૭૦૦૦૦ એકત્રીત કરેલ તે ફંડ સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી રાણાભાઈ ઓડેદરાને લોઢવા ગામનાં સરપંચ ગોવિંદભાઈ ભોળા તથા તાલુકા પંચાયત સદસ્ય હીરાભાઈ વાઢેર તથા એકસ આર્મીમેન ભગવાનભાઈનાં હસ્તે લોઢવા ગ્રામ પંચાયત ખાતે આપેલ
હતા.

error: Content is protected !!